June 6, 2026

Study Quell

Your Creativity, One Platform for All Solution!..

નૃત્યકલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સવિસ્તર સમજાવો.

પ્રશ્ન: નૃત્યકલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ સવિસ્તર સમજાવો.

નૃત્ય શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત ધાતુ ‘નૃત્’ (નૃત્ય કરવું) પરથી થઈ છે. લય અને તાલ સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવવી એ નૃત્યનો મૂળભૂત ઉદ્દેશ્ય છે. નૃત્યના આદિદેવ ભગવાન શિવ ‘નટરાજ’ ગણાય છે, જેઓ પૃથ્વીવાસીઓને નૃત્ય શીખવવા માટે તેને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હતા.
૧. ભરતનાટ્યમ્:
આ નૃત્યશૈલી દક્ષિણ ભારતના તમિલનાડુ (તાંજોર જિલ્લો) માં ઉદભવી છે. તેનો મુખ્ય આધાર ‘નાટ્યશાસ્ત્ર’ (ભરતમુનિ) અને ‘અભિનવ દર્પણ’ (નંદીકેશ્વર) જેવા ગ્રંથો છે. મૃણાલિની સારાભાઈ, વૈજયંતીમાલા અને હેમામાલિની જેવા કલાકારોએ આ શૈલીને જીવંત રાખી છે.
૨. કુચીપુડી:
૧૫મી સદીમાં ઉદભવેલી આ નૃત્યશૈલી આંધ્રપ્રદેશ માં અત્યંત લોકપ્રિય છે. તે મુખ્યત્વે સ્ત્રી-સૌંદર્યના વર્ણન પર આધારિત છે અને તેમાં સ્ત્રી-પુરુષ બંને ભાગ લે છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી અને યામિની રેડ્ડી એ આ પ્રાચીન વારસાને વિશ્વમાં ખ્યાતિ અપાવી છે.
૩. કથકલી:
કેરલ રાજ્યનું આ પ્રખ્યાત નૃત્ય પૌરાણિક કથાઓ પર આધારિત છે. પાત્રો ઘેરદાર વેશભૂષા અને કલાત્મક મુકુટ ધારણ કરે છે. ચહેરાના હાવભાવ અને મુખાકૃતિ પરથી પાત્રની ઓળખ થાય છે. કવિ વલ્લભથોળ અને શિવારમન જેવા નર્તકોએ તેને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા અપાવી છે.
૪. કથક:
‘કથન કરે સો કથક કહાવે’ આ ઉક્તિ આ નૃત્ય સાથે જોડાયેલી છે. તે ઉત્તર ભારતમાં શ્રીકૃષ્ણની ગોપીઓ સાથેની રાસલીલા પર આધારિત છે. પંડિત બિરજુ મહારાજ અને સિતારા દેવી એ કથક નૃત્યને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લોકપ્રિય બનાવ્યું છે.
૫. મણિપુરી:
મણિપુર રાજ્યનું આ નૃત્ય કૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર કેન્દ્રિત છે. તેના બે મુખ્ય પ્રકારો તાંડવ અને લાસ્ય છે. આ નૃત્યમાં પહેરવામાં આવતા ઘેરા લીલા રંગના ચણિયાને ‘કુમીન’ કહેવામાં આવે છે. ગુરુ બિપિન સિંહ અને નયના ઝવેરી એ આ કલાને દેશ-વિદેશમાં ગુંજતી કરી છે.
આમ, વિવિધ રાજ્યોની આ શાસ્ત્રીય નૃત્યશૈલીઓએ ભારતીય સાંસ્કૃતિક વારસાને વિશ્વભરમાં અજોડ અને ગૌરવશાળી બનાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *